પીએમ કિસાન સન્માન નિધિ યોજના નાં લાભાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાં લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા તેનું સ્ટેટ્સ ઓનલાઇન ચકાસી શકશે.
જાણો તમારા ગામમાં કોને કોને હપ્તો આવી ગયો તમારું નામ આ યોજનામાં છે કે નહીં જાતે જ ચકાસો આ માટે લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકે છે.
PM Kisan App કેવી રીતે ઇન્સ્ટોલ કરવી ? |
Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store
Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
Step 3: PM Kisan App નામ દાખલ કરો.
Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
Step 5: Apps તમારા ફોન માં (ઇન્સ્ટોલ) ડાઉનલોડ કરો.
➥આ એપ્લિકેશન તમને PM Kisan નામથી પ્લે સ્ટોરમાં જોવા મળશે. ડાઉનલોડ કર્યા બાદ એપમા તમને ઘણા ઓપ્શન મળશે. જેની માટે તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે.
➥રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને હોમ પેજ ઉપર આધાર કાર્ડ એડિટ કરવાથી લઈને ઇન્સ્ટોલમેન્ટ ચેક કરવા સુધીનાં તમામ ઓપ્શન મળશે.
➥જો તમે ઇન્સ્ટોલેશન ને લગતું સ્ટેટ્સ ચેક કરવા માંગતા હો તો તમારે ઇન્સ્ટોલેશન ચેક નાં ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
➥ત્યાર બાદ એક પેજ ખુલશે જ્યાં બેન્ફિટ સ્ટેટ્સ માં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતા નંબર એન્ટર કરવો પડશે.
➥નંબર એન્ટર કર્યા બાદ સબમિટ નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ઇન્સ્ટોલમેન્ટ નુ સ્ટેટ્સ તમે તપાસી શકશો, એટલે કે કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા છે તે જાણી શકશો.
➥સરકારે આ નિર્ણય ખેડૂતોનાં હિત માટે લીધો છે. જેથી હપ્તાની જાણકારી મેળવવા માટે ખેડૂત મિત્રોને સરકારી દફતરે ધક્કા ન ખાવા પડે.
શું PM કિસાન યોજનાનાં પૈસા તમારા ખાતામાં નથી આવ્યા, તો આ નંબર પર કરો ફોન, તમને તરત જ મળશે 2000 રૂપિયા |
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા હોવ, અને તેમ છતાં સહાય તમારા એકાઉન્ટમાં જમા ના થઈ હોય? તો શું કરવું? આવા પ્રશ્નો તમારા મનમાં ઉદભવતા હોય છે. આ સમસ્યાના સમાધાન માટે તમે સીધા હેલ્પલાઈન પર ફોન કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ તપાસ કરી શકો છો. નીચેની વિગતો નીચેના કોષ્ટકમાં આપેલી છે.
વિગતો | નંબર |
PM Kisan Helpline | 155261 |
PM Kisan Yojana Toll Free Number | 1800-11-5526 |
PM Kisan Email Id | pmkisan-ict@gov.in |
ક્યાં ખેડૂતોને સહાય મળે છે? |
પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત 2 હેકટર સુધીની સંયુક્ત જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને પીએમ સન્માન નિધિ યોજનાના 15 હપ્તા મળી ચૂક્યા છે. આ યોજનાને કારણે ખેડૂતોને બે-બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં સરકાર તરફથી આર્થિક સહાય મળે છે.
અગત્યની લીંક | |
2000રૂપિયાનો 15મો હપ્તાની સહાય જમા થઈ કે નહિ? | અહીં ક્લિક કરો |
ખેતીવાડી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
લિસ્ટમાં તમારું નામ જોવા માટે | અહીં ક્લિક કરો |